
અમારી પ્રકાશન સંસ્થા તરફથી જીવનોપયોગી પ્રકાશનો તો પ્રગટ થાય છે એ હકીકત પુસ્તકોની દુનિયામાં જાણીતી બની ગઈ છે. પર્યાવરણનો પ્રશ્ન અને જીવનનો પ્રશ્ન જુદો નથી. પર્યાવરણનું બીજું નામ જ ‘જીવન’ છે એમ કહેવામાં કશી જ અતિશયોક્તિ નથી .
ભાઈ શ્રી દિવ્યેશ ત્રિવેદીની પર્યાવરણને લગતી લેખમાળા ‘સમભાવ’ દૈનિકમાં મેં વાંચી હતી ત્યારથી એ પુસ્તકાકારે પ્રગટ કરવાની ઈચ્છા જન્મી હતી અને મેં દિવ્યેશભાઇને મારી એ ઈચ્છા જણાવી પણ હતી. અને આજે એ ઈચ્છા ફળિભૂત થાય છે તેનો મને આનંદ છે.
આ પુસ્તક અમારી સંસ્થાને પ્રગટ કરવા માટે આપવા બદલ શ્રી દિવ્યેશ ત્રિવેદીના અમે અત્યંત આભારી છીએ .
અમારી પ્રકાશન પ્રવૃત્તિમાં પ્રોત્સાહન આપનાર સર્વશ્રી ઓચ્છવલાલ ગો. શાહ ટાઈલ્સવાળા, નાનુભાઈ સુરતી, અવિનાશ મુનશી, એમ. પી. પટેલ, કે. પી. શાહ, વિઠ્ઠલભાઈ પટેલ, નવનીતભાઈ સી. પટેલ, ડૉ. કુમારપાળ દેસાઈ, વિનોદ ભટ્ટ, અશોક હર્ષ, ચંદ્રકાંત મહેતા, નરેન્દ્ર દવે, જયકાન્ત કામદાર, પ્રિયકાન્ત પરીખ, યશવંત મહેતા, પ્રીતિ શાહ, પદ્મા ફડિયા, કનૈયાલાલ જોશી, વ્રજલાલભાઈ બ્રહ્મભટ્ટ, પ્રાણલાલ સોની વગેરેના અત્યંત આભારી છીએ.
મુકુન્દ પી. શાહ
કુસુમ પ્રકાશન,
અમદાવાદ – ૩૮૦ ૦૦૭.