5. Would Taj be even saved?

સાહિર લુધ્યાનવીએ તાજમહાલને વખોડયો હોય કે શકીલ બદાયૂનીએ એને વખાણ્યો હોય, પરંતુ તાજની સુંદરતા નિરપેક્ષ રીતે મોહક રહી છે. ખુદ જમુનાનો કિનારો પણ તાજની હાજરીથી શોભી ઊઠે છે.
પર્યાવરણ પ્રેમીઓ બૂમો પાડતા જ રહ્યા અને તાજથી ફક્ત ૨૦ ક્લિોમીટરના અંતરે મથુરા રીફાઇનરીનાં ભૂંગળાં એના માથે એક એક કરીને ગોઠવાતાં રહ્યાં છે.
મથુરા રીફાઇનરીનો રાસાયણિક ધુમાડો હવે તાજ માટે જીવલેણ ખતરો બની રહ્યો છે. એની દૂધમલ સફેદીને વળી રહેલી ઝાંખ સમગ્ર પર્યાવરણ પરની એની અસરોની ગવાહી આપી જાય છે.
આમને આમ ચાલ્યું તો તાજ એક દિવસ સફેદીનું ખંડેર બનીને રહી જશે!