સમયનું આયોજન કરીને પૂર્ણ કરેલું કામ ખૂબ સંતોષ આપે છે, એટલું જ નહિ આપણને આપણી જાત પ્રત્યે માન થાય છે અને નવા કામ માટે ઉત્સાહ પ્રગટે છે. અધૂરું કામ અજંપો અને અસંતોષ આપે છે. જે સરવાળે નિષ્ફળતા અને હાર આપે છે. મહાકવિ ગેટેએ પણ કહ્યું છે કે આપણે આપણા પ્રત્યેક દિવસનું મૂલ્ય સમજીએ તો એનાથી વધુ પ્રશંસાનીય વર્તન બીજું કોઈ નથી.